પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-15): પત્રકાર આદેશની સવાર થઈ ન્હોતી, આમ તો તે રોજ સવારે વહેલો ઉઠી જતો હતો, પણ આજે સાત થવા આવ્યા હતા છતાં તે પથારીમાં જ હતો, તેના મોબાઈલની રીંગ વાગી પણ તેણે ઉપાડવાને બદલે તે પાછું પડખું ફેરવી લીધું, રીંગ વાગી અને બંધ થઈ પાછી રીંગ વાગી અને તેણે બારીમાંથી આવતા સુર્યના પ્રકાશને આધારે કેટલાં વાગ્યા હશે તેનો જીણી આંખે અંદાજ મેળવવાનો પ્રયત્ન કર્યો અને સામે છેડે સાથી પત્રકાર મોહન હતો, તેણે ઉંચા અવાજે કહ્યુ ‘ હજી ઉંઘે છે જલદી ઉઠ એન્કાઉન્ટર થયા છે’ આદેશ પથારીમાં બેઠો થઈ ગયો, મોહને કહ્યું ‘નારોલની જમના ટેનામેન્ટમાં ચાર કાશ્મીરી ત્રાસવાદીઓ રોકાયા હતા, તેમનું એન્કાઉન્ટર થયું છે.’ આદેશ ઉઠયો તરત બ્રશ લીધુ અને કામ પતાવી તે સીધો પોતાની મોટર સાયકલ લઈ નારોલ જવા રવાના થયો. રસ્તામાં ફરી એક વખત તેના મનમાં વિચારો દોડવા લાગ્યા. ત્રાસવાદીઓ કેમ આવ્યા હશે, શું ઈરાદો હશે, કે પછી કોઈ ગુંડાઓને ત્રાસવાદી બતાડી મારી નાખ્યા હશે? ક્રાઈમ રીપોર્ટીંગ કરતા કરતા આદેશને તમામ વાતો ઉપર શંકા કરવાવની ટેવ પડી હતી.
વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-15
No comments:
Post a Comment