પ્રશાંત દયાળ (શતરંજ:પ્રકરણ-14): જુનેદ-મકસુદ, જાહીદ અને મુઝબીલને ક્રાઈમ બ્રાન્ચમાં લાવ્યાને પંદર દિવસ થઈ ગયા હતા. હજી સુધી તેમને વિનય તોમર કે અન્ય કોઈ અધિકારીએ કોઈ પ્રશ્ન પુછ્યો જ ન્હોતો. પંદર પંદર દિવસ સુધી તેમને કેમ ક્રાઈમ બ્રાન્ચમાં બેસાડી રાખ્યા છે તેની જુનેદ ખુદને ખબર પડતી ન્હોતી. તે રોજ જ્યારે પણ તક મળે ત્યારે ઈન્સપેક્ટર વિનયને સવાલ પુછતો તો વિનય જવાબ વાત આપતો વછરાજાની સાહેબ જ તમારી સાથે કરશે. જુનેદને કયાં ગુનામાં પકડયો છે, તેની જાણકારી લેવા માટે તેમના વકિલો પણ આવી ગયા હતા, પણ તેમને વિનયે તેમને સમજાવી દીધા હતા કે મામલો ગંભીર છે, અને જુનેદ દેશદ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયો હોવાની વાત છે. તેથી આ મામલે ઉતાવળ કરવા જેવી નથી, બની શકે કે કોઈ પુરાવા ના મળે તો તેમને છોડી પણ મુકીશુ, પણ જો તમે તમારા અસીલ માટે હેબીર્યસ કરી દેશો તો ના છુટકે અમારે તેમને એરેસ્ટ બતાડી દેવા પડશે. વર્ષોથી ક્રાઈમ બ્રાન્ચ સાથે કામ કરી ચુકેલા વકીલ પણ સમજી ગયા હતા, ક્રાઈમ બ્રાન્ચ કઈ હદ સુધી ખોટુ કરી શકે છે તેવા કિસ્સામાં હમણાં પોલીસ સાથે બગાડી કોર્ટમાં જવાનો અર્થ છે કે જુનેદ અને તેના દિકરા સહિત બધાને જેલમાં મોકલી આપવા.
વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-14
No comments:
Post a Comment