પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-16): બીજી તરફ એટીએસમાં બેઠેલા ઈન્દ્રસિંહના મનમાં એક જોરદાર પ્લાનીંગ ચાલી રહ્યું હતું, તે છેલ્લાં પંદર દિવસથી તેમના ટેબલ ઉપર પડેલા પાંચ ફોનમાં રીંગ વાગે એટલે તે ઉપાડી મીનીટો સુધી સાંભળળતા હતા, તે કંઈ પણ બોલતા ન્હોતા, ઈન્દ્રસિંહ જે સાંભળી રહ્યા હતા તેને પોલીસની ભાષામાં ફોન ઈન્ટ્રસેપ્શન કહેવાય પોલીસ અધિકારી ધારે તેના નંબર મોબાઈલ નંબર ઈન્ટસેપ્શનનમાં મુકી શકતા હતા, બીજા શબ્દોમાં કહીએ તો તે ફોન આતરીને થતી વાતચીત સાંભળી રહ્યા હતા, કયારેક કયારેક તેમના ચહેરા ઉપરનો ભાવ ફોન ઉપર થઈ રહેલી વાતચીતો સાંભળી બદલાઈ જતો, સાંજે તેમણે આ મુદ્દે મંત્રી અમર ઠાકોરને મળવાનો નિર્ણય કર્યો, જે અંગે તેમની સાથે વાતચીત થઈ ગઈ હતી અને તેમણે છ વાગે જુના સરકિટ હાઉસ આવવાની સુચના આપી હતી. ઈન્દ્રસિંહ જાડેજા જે તરફ પુરી વાતને લઈ જવા માગતા હતા, તેની કોઈ કલ્પના ન્હોતી, આવનાર વર્ષોમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવાના હતા.
This link doesn't work...
ReplyDelete