પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-3): સવાર થતાં જ પત્રકારો મોટી સંખ્યામાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ભેગા થયા હતા. જેમાં ટેલિવીઝન ચેનલના પત્રકારો પોતાની કેમેરા ટીમ સાથે હોવાને કારણે તેમની હાજરી ઉડીને આંખે વળગતી. કેમેરામેન ક્રાઈમ બ્રાન્ચ આવતા પહેલા નરોલ એન્કાઉન્ટર સ્પોટ ઉપર જઈને આવ્યા હતાં. ત્યાંના વિઝ્યુઅલ મળી ગયા હતા. ઘટનમા સ્થળ ઉપર હાજર ઈન્સપેક્ટર મહેશ રાવ અને વિનય તોમરે વિનંતી કરી હતી કે તેઓ એન્કાઉન્ટર અંગે કોઈ વાત નહીં કરે કારણે ડીસીપી વછરાજાની પત્રકારોને બ્રિફિંગ આપવાના છે, તેના કારણે ફોટોગ્રાફર અને કેમેરામેન સાથે પત્રકારો સવારથી જ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ બહાર એકઠા થયા હતા. જો કે ક્રાઈમ બ્રાન્ચના તોંતિંગ લોંખડી દરવાજા હજી પત્રકારો માટે ખુલ્યા ન્હોતા.
એસીપી પરમારનો ફોન હવે સ્વીચ ઓફ આવતો હતો, જ્યારે ડીસીપી વછરાજાની કોઈ પણ પત્રકારનો ફોન રિસિવ કરતા ન્હોતા. દરવાજે ઉભો રહેલો સંત્રી વિનંતીના સુરમાં પત્રકારોને ‘ હજી સાહેબ આવ્યા નથી અને તમને અંદર જવા દેવા અંગે કોઈ સુચના નથી’ ગુનેગારોમાં જ નહીં પણ પોલીસમાં પણ વછરાજાનીનો ખોફ હતો.તેમની આજ્ઞાનું ઉલ્લંધન કરનાર પોલીસને ફટકારતા, પત્રકાર સંત્રીની સ્થિતી સમજતા હતા એટલે તેની સાથે કોઈ માથાકુટ કરવાને બદલે તેમણે રાહ જોવાનું જમુનાસીફ માન્યુ હતું.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-3&category=exclusive
No comments:
Post a Comment