Adv

G Adv

Thursday, 23 February 2017

કોંગેસ સાંસદ રઉફ કા ગેઈમ કરને કા વક્ત આ ગયા હૈ: ડૉન લતીફ

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-17): રાધિકા જીમખાના હત્યાકાંડે હાહાકાર મચાવી દીધો હતો. પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો, પણ કાયમની જેમ લતીફ અને શરીફખાન સલામત નિકળી જતાં અને નાના ટપોરી પકડાઈ જતા હતાં.  ક્યારેક ગુસ્સામાં આવેલી પોલીસ સામાન્ય મુસ્લિમોને પણ પકડી પુરી દેતી હતી. લતીફને રાજકિય રક્ષણ હતું તેમાં કોઈ બેમત ન્હોતો. આ આખી બાબતથી સૌથી વધુ કોઈ નારાજ હોય તો કોંગ્રસના સાંસદ રઉફવલીઉલ્લાહ હતાં. તેઓ એક શિક્ષિત અને અભ્યાસુ વ્યક્તિ હતાં. કોંગ્રસના સાંસદ રઉફવલીઉલ્લાહને વ્યક્તિગત રીતે ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા તેની સામે અને ચીમનભાઈ પટેલની સરકારમાં કોંગ્રેસ સામેલ થાય તે વાત ત પસંદ ન્હોતી. તેઓ કાલુપુરમાં જ ઉછર્યા હોવા છતાં જાહેરમાં લતીફનો વિરોધ કરતા હતાં. લતીફનો સિતારો ચમકતો હતો હતો ત્યારે લતીફની વિરૂદ્ધ બોલવાની હિમંત કરવી બહુ મોટુ કામ હતું પણ રઉફ પોતાના જીવનની પરવા કર્યા વગર પોતાનો મત જાહેરમાં કહેતા હતાં. 

સાંસદ રઉફમાં રાજય સરકારમાં કોઈની સાથે મિત્રતા હોય અથવા ભરોસો હોય તો તે ગૃહમંત્રી સી. ડી. પટેલ ઉપર હતો. તેઓ અવારનવાર સી. ડી. પટેલ પાસે જઈ લતીફને નાથવા માટે કહેતા હતાં. સી. ડી. પટેલ કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં, તે જુદી માટીના માણસ જ હતાં. તેઓ પોતાના કામ અને વાતમાં પ્રમાણિક હતા, તેઓ જે બોલતા તે પાળતા હતાં. જો કે  મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને ગૃહમંત્રી પટેલની કાર્યપ્રણાલી પસંદ પડતી ન્હોતી. સી ડી પટેલે તે જમાનામાં ચીમનભાઈ પટેલના ખાસ ગણાતા રામાનાથા ગઢવીના ઘરે દરોડો પડાવી હથિયારોનો મોટો જથ્થો પકડ્યો હતો. સી. ડી. પટેલ વ્યવસાયે વકિલ હતા, તેના કારણે તેમને આઈપીસી અને સીઆરપીસી કલમની પાક્કી સમજ હતી. મોટા પોલીસ અધિકારીઓ પણ તેમને માનથી જોતા હતા અને તેમને મુર્ખ બનાવી શકતા ન્હોતા. 

ભાજપે જયારે ચીમનભાઈ પટેલની સરકારનો ટેકો પાછો ખેંચી લીધો અને કોંગ્રેસ ટેકો આપી સરકારમાં ભાગીદાર થઈ તેમાં સી. ડી. પટેલને કેબિનેટ કક્ષાનો ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. સી ડી પટેલના પુત્ર સુનીલ પટેલની ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ધિકતી પ્રેક્ટિસ ચાલતી. એક સાંજે સી. ડી. પટેલે પોતાના પુત્ર સુનીલને ઘરે બોલાવી સલાહ આપી કે તેઓ પોતે જયાં સુધી ગૃહ પ્રધાન છે ત્યાં સુધી સુનીલે હાઈકોર્ટમાં પાસાના કોઈ આરોપીનો કેસ ન લેવો જોઈએ, કારણ પોલીસ પાસા કરતી હોય છે અને તેઓ ગૃહ પ્રધાન  છે. ત્યારે પોલીસના તમામ પગલાં માટે તેઓ ગૃહમંત્રી તરીકે જવાબદાર છે. આવી સ્થિતિમાં જો સુનીલ મેરીટ ઉપર પણ કોઈ પાસાના આરોપીને છોડાવે તો લોકો કહેશે કે પિતા પાસાનો હુકમ કરે છે અને પુત્ર છોડાવે છે. પિતા-પુત્રની મીલીભગત છે. સુનીલ પટેલને પિતાની વાત બરાબર સમજાઈ ગઈ અને જયાં સુધી સી. ડી. પટેલ ગૃહમંત્રી રહ્યા ત્યાં સુધી તેમણે પાસાનો એક પણ કેસ લીધો નહીં. 

સી. ડી. પટેલનો આ પ્રકારનો વ્યવહાર ચીમનભાઈ પટેલ માટે અસહ્ય હતો. કારણ કે ચીમનભાઈ પટેલ તમામ નિર્ણયો પહેલા રાજકિય સમીકરણો જોઈ જતાં હતાં. જ્યારે સી. ડી. પટેલ માત્ર કાયદાની જ વાત કરતા હતા, ત્યારે રઉફ લતીફના મુદ્દે સરકાર ઉપર દબાણ કરતા હતાં.  આવા અનેક મુદ્દા હતા જેમાં ચીમનભાઈ પટેલ અને સી. ડી. સામ-સામે ઉભા હતાં. પરંતુ હવે લતીફ સુધી તે વાત પહોંચી ગઈ હતી કે પોલીસનું તેની ઉપર વધી રહેલા દબાણનું કારણ રઉફવલીઉલ્લાહ જ છે. રાધીકા જીમખાનાની ઘટના પછી સી. ડી. પટેલ પોલીસ ઉપર ભારે નારાજ થયા હતાં  અને તેમણ કોઈ પણ ભોગે લતીફને ઝડપી લેવા માટે સુચના આપી હતી. પોલીસની અલગ અલગ ટીમો તૈયાર હતી, પણ લતીફ તેમની પકડથી ખાસો દુર હતો. 

બીજી વાસ્તવિકતા એવી હતી કે લતીફ અને શરીફની અવરજવર પોપટીવાડમાં તો હતી પણ પોલીસ અધિકારીઓ હજી પોપટીયાવાડ તરફ માથુ રાખી સુઈ શકવાની હિમંત કરતા ન્હોતા. જેના કારણે બહારના ભાગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પોપટીયાવાડમાં પોતાનો તમામ કારોબાર બરાબર ચલાવી રહ્યો હતો. પોલીસ કાગળ ઉપર જ લતીફને પકડવાની કાર્યવાહી દર્શાવતી હતી. આમ છતાં જે કંઈ પોલીસ દ્વારા થઈ રહ્યુ હતું તે ખુબ જ નાનો પ્રયાસ હોવા છતાં એક દસકામાં પહેલી વખત થઈ રહ્યુ હતું. 

આ આખી સ્થિતિ એક માત્ર સાંસદ રઉફવલીઉલ્લાને કારણે થઈ રહી છે તેવું લતીફનાં મનમાં બરાબર ઠસાવી દેવામાં આવ્યુ હતું. એક દિવસ લતીફના ઘરે લેન્ડ લાઈન ઉપર ફોન આવ્યો. સ્વભાવીક રીતે ફોન ઉપાડવાની જવાબદારી સંભાળનાર ગેંગસ્ટરે ફોનનું રિસીવર લતીફને આપતા કહ્યુ ભાઈ ગાંધીનગર સે ફોન હે, ફોન લેતા લતીફે પોતાની ગુજરાતી મિશ્રિત હિન્દીભાષામાં સામેથી વાત કરી રહેલી વ્યક્તિ સાથે બહુ અદબથી વાત કરી ફોન મુક્યો હતો. 

ફોન મુક્યા પછી લતીફ એક ક્ષણ માટે શાંત થઈ ગયો તે કંઈક વિચારી રહ્યો હતો. ફોન રિસીવ કરનાર લતીફનો સાગરીત લતીફના ચહેરા ઉપરના હાવભાવ વાંચી રહ્યો હતો. લતીફની તેની સામે નજર ગઈ અને તેણે એટલું કહ્યુ અબ રઉફ કા ગેઈમ કરને કા વક્ત આ ગયા હૈ, રઉફા કા ગેઈમ કર ડાલો, રઉફવલીઉલ્લા કોઈ સામાન્ય માણસ ન્હોતા, તેઓ સત્તાધારી કોંગ્રેસ પક્ષના સાંસદ હતાં. તેમને ગુજરાતના નેતાઓ જ નહીં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી પણ બહુ માન આપતા હતાં, પણ લતીફે રઉફની હત્યા કરી નાખવાની સુચના આપી હતી. 

Latif Series Part 17- http://www.meranews.com/news-detail/It-is-time-to-finish-Congress-MP-Rauf-Don-Latif

No comments:

Post a Comment