Adv

G Adv

Saturday 17 March 2018

ઈન્સેપક્ટર જાડેજાએ ફિરોજનું નામ પુછ્યુ અને એક વૃદ્ધ વ્યક્તિ દરવાજામાં આવી ઉભી રહી

 Deewal Part 32

પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ- ભાગ-32) રાતના આઠ વાગી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના વાહનો શાહપુર હલીમની ખડકીમાં દાખલ થયા. પોલીસના વાહનો આ વિસ્તારમાં આવે તેનું સ્થાનિક લોકોને કંઈ આશ્ચર્ય ન્હોતુ. આમ પણ અમદાવાદનો આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. અહિયા તો બે સાયકલવાળા અથડાય તો પણ પથ્થર મારો થઈ જાય અને પતંગનો દોરો લૂંટવાની ઘટનાને કારણે પણ કોમી તોફાન થઈ જાય. પહેલા આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમની વસ્તી સરખી હતી. પોળોમાં રહેતા હિન્દુ-મુસ્લિમ સાથે રહેતા હોવા છતાં તેમને બાપે માર્યા વેર હતા. હિન્દુઓ કાયમ એવુ માનતા કે મીયા બહુ ફાટ્યા છે અને મુસ્લિમો માનતા કે ભારત કંઈ ખાલી થોડુ હિન્દુડાઓનું છે, અમારૂ પણ છે. 1969માં અમદાવાદમાં સૌથી મોટા કોમી તોફાન થયા ત્યારે શાહપુરની અનેક પોળો બહાર એસઆરપીનો પોઈન્ટ મુકવામાં આવ્યો હતો તે ચાર દાયકાઓ પછી પણ પોઈન્ટ યથાવત હતો. આમ પણ દરેક પોળમાં એક દાદા અર્થાત ગુંડો રહેતો હતો તેને પકડવા પણ પોલીસ અવારનવાર આવે તેના કારણે પોલીસ આવે તો કોઈ આશ્ચર્ય અથવા ડર લાગે નહીં....

Read More : http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-32

No comments:

Post a Comment