Adv

G Adv

Sunday, 18 March 2018

ફિરોજચાચાએ કહ્યું, હૈદરાબાદ સે નસીરૂદ્દીન આયે થે ઉન્હોને કહા જમાત કે લડકે આયેંગે

 Deewal Part 33

પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દિવાલ-ભાગ-33): ઈન્સપેક્ટર જાડેજા ફિરોજચાચાને લઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા અને કારમાંથી તેમને હાથ પકડી નીચે ઉતાર્યા ત્યારે ત્યાં હાજર પોલીસવાળા માની રહ્યા હતા કે કોઈ મોટો શિકાર જાડેજા સાહેબે પકડયો છે. પણ બીજી જ ક્ષણે એવો વિચાર પણ આવતો કે આવો ઘરડો ટેરેરીસ્ટ થોડો હોય. પોલીસ પણ આખરે તો હિન્દુ જ હતી. તરત ત્રીજો વિચાર પણ આવી જતો આ મીયાઓનો કોઈ ભરોસો નહીં. નાનો છોકરો હોય કે ઘરડો આ બધા બહુ કટ્ટર જ હોય છે. જો કે જાડેજાના મનમાં ક્રાઈમ બ્રાન્ચ આવતા ઘણી બધી સ્પષ્ટતા આપમેળે આવવા લાગી હતી. તેમણે કારમાં ફિરોજચાચાને એક પણ પ્રશ્ન પુછ્યો ન્હોતો પણ ચાચાની બાજુમાં બેસી તેમને ચાચા માટે કોઈ નકારાત્મક ભાવ આવતો ન્હોતો. ચાચાને ડીસીપી સિન્હાની ચેમ્બર બહાર બેસાડ્યા અને ડીસીપીના કમાન્ડોને પુછ્યુ સાહેબ શુ કરે છે?

Read more : http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-33

No comments:

Post a Comment